વૈજ્ઞાનિકોનું એક જૂથ માને છે કે, છેલ્લાં 20 વર્ષમાં પૃથ્વીનો ભૂ કેન્દ્રીય ભાગનો આકાર બદલાયો હોવો જોઈએ.
આ સંશોધનનું નેતૃત્વ કરનારા પ્રોફેસર જૉન વિડાલેના જણાવ્યા અનુસાર, આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ સામાન્ય રીતે દડા જેવો માનવામાં આવે છે, પણ ખરેખર કેટલેક ઠેકાણે સો મીટર કે તેનાથી વધુ ઊંચાઈ સુધી ફેરફાર થઈ શકે છે.
પૃથ્વીનો મુખ્ય ભાગ આપણા ગ્રહનો ઊર્જા સ્રોત છે, કારણ કે તે એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે જે જીવનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે.
આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ જે છે તે તરલ પ્રકારની બહાર તેમજ અન્ય ગ્રહથી અલગ રીતે પોતાની ગતિમાં ફરે છે. જો તે ફરવાનું બંધ કરે તો પૃથ્વી નિષ્ક્રિય થઈ શકે છે અને મંગળની જેમ તેમાં પણ જીવન સમાપ્ત થઈ શકે છે. મંગળે તેના ચુંબકીય ક્ષેત્રને અબજો વર્ષો પહેલાં ગુમાવી દીધું હતું.
જ્યાં નક્કર આંતરિક ભૂ કેન્દ્રીય ભાગની ધાર બાહ્ય ભાગની અત્યંત ગરમ પ્રવાહી ધાતુને સ્પર્શે છે ત્યાં આકારમાં આ ફેરફાર થવાની શક્યતા રહે છે.